
સરયૂ પરીખ
મનના માહોલમાં આવે જો શુદ્ધિ;
કામ ક્રોધ મોહ પર આવે તો સિદ્ધિ.
બંધનને મોક્ષનું કારણ છે બુદ્ધિ;
યોગના હલેસા યમોની વિશુદ્ધિ.
જન્મો જન્માંતરની નિર્મિત સુનિધિ;
જડમૂળથી જાયે ના દુર્ગુણ દુર્બુદ્ધિ.
ઉત્તરોત્તર મનવામાં શાંતિની વૃદ્ધિ;
સત્કર્મે ધોવાયે અંતર અશુદ્ધિ.
ગણના ગણપતિ સાથ રિદ્ધિ ને સિદ્ધિ;
જનના કલ્યાણ અર્થ સંપન્ન સમૃદ્ધિ.
સંપર્કઃ સરયૂ પરીખ : saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com
