સરયૂ પરીખ

મનના માહોલમાં આવે જો શુદ્ધિ;
કામ ક્રોધ મોહ પર આવે તો સિદ્ધિ.

બંધનને મોક્ષનું કારણ છે બુદ્ધિ;
યોગના હલેસા યમોની વિશુદ્ધિ.

જન્મો જન્માંતરની નિર્મિત સુનિધિ;
જડમૂળથી જાયે ના દુર્ગુણ દુર્બુદ્ધિ.

ઉત્તરોત્તર મનવામાં શાંતિની વૃદ્ધિ;
સત્કર્મે ધોવાયે અંતર અશુદ્ધિ.

ગણના ગણપતિ સાથ રિદ્ધિ ને સિદ્ધિ;
જનના કલ્યાણ અર્થ સંપન્ન સમૃદ્ધિ.


સંપર્કઃ સરયૂ પરીખ  :  saryuparikh@yahoo.com | www.saryu.wordpress.com