નિરંજન મહેતા

૧૯૭૨ની ફિલ્મ ‘શોર’નું ગીત છે

 

जीवन चलने का नाम
चलते रहो सुबह-ओ-शाम
के रस्ता कट जाएगा मितरा
के बादल छट जाएगा मितरा
के दुःख से झुकना ना मितरा
के एक पल रुकना ना मितरा
जीवन चलने का नाम…

जो जीवन से हार मानता, उसकी हो गयी छुट्टी
नाक चढ़कर कहे ज़िन्दगी, तेरी मेरी हो गयी कुट्टी
के रूठा यार मना मितरा
के यार को यार बना मितरा
ना खुद से रहो खफा मितरा
खुद ही से बने खुदा मितरा
जीवन चलने का नाम…

उजली-उजली भोर सुनाती, तुतले तुतले बोल
अन्धकार में सूरज बैठा, अपनी गठड़ी खोल
के उससे आँख लड़ा मितरा
समय से हाथ मिला मितरा
के हो जा किरण-किरण मितरा
के चलता रहे चलन मितरा
जीवन चलने का नाम…

के चली शाम के रंग महल में, तपती हुई दुपहरी
मिली गगन से साँझ की लाली, लेकर रूप सुनहरी
के रात बिखर जायेगी मितरा
के बात निखर जायेगी मितरा
के सूरज चढ़ जाएगा मितरा
काफिला बढ़ जाएगा मितरा
जीवन चलने का नाम…

हिम्मत अपना दीन धरम है, हिम्मत है ईमान
हिम्मत अल्लाह, हिम्मत वाहगुरू, हिम्मत है भगवान
के इसपे मरता जा मितरा
के सजदा करता जा मितरा
के शीश झुकाता चल मितरा
के जग पर छाता जा मितरा
जीवन चलने का नाम…

छोटा सा इक दीपक है और टीम टीम करती ज्योति
हीरे जैसी आँख से इसके टूट रहे हैं मोती
के नन्हें हाथ जुड़े मितरा, ना इसका बात मुड़े मितरा
अगर ये खो जाएगा मितरा, तो झूठा हो जाएगा मितरा
जीवन चलने का नाम…

इक दुआ बस तुझसे माँगूँ, मैं आज बिछा कर पल्ला
मेरे यार की रक्षा करना, कदम-कदम पर अल्लाह
के लब पर यही दुआ मितरा
के बिगड़ी बात बना मितरा
के बेड़ा पार लगा मितरा
तुझे तब कहूँ खुदा मितरा
तुझे तब कहें खुदा मितरा
जीवन चलने का नाम…

https://youtu.be/pzhKrjU7aIQ?si=So9tq7U2OOmKGeTd

અવિરત સાઈકલ ચલાવવાની હરીફાઈમાં મનોજકુમાર ભાગ લે છે અને તેને પ્રોત્સાહિત કરવા પ્રેમનાથ, જયા ભાદુરી વગેરે પણ ગીત ગાઈ સાથ આપે છે.

કહે છે કે જીવન તો અવિરત ચાલ્યા કરે છે, અટકવાનું નામ નથી લેતું. જેમાં દુઃખો તો આવે પણ તેની સામે ઝૂકવું નહિ, એક પળ પણ અટકવું નહિ કારણ સમય જતાં દુઃખના વાદળ વિખેરાઈ જશે અને રસ્તો પણ આપોઆપ ખુલી જશે.

જીવનમાં જે સામનો કરવાને બદલે હાર માને છે તેની હાલત બગડે છે. તેને સ્થાને તે હકારાત્મક વલણ અપનાવશે તો તેનું જીવવું સાર્થક થશે. જો તમારો મિત્ર આમ નકારાત્મક પરિસ્થિતિમાં રહેતો હોય તો તેને સમજાવો. મિત્રને મિત્ર બનાવી તમે જ ઈશ્વર બનો.

આગળ કહ્યું છે કે જેમ સવારના પહોરમાં અંધકારને ભેદીને સુરજ પોતાના કિરણો પસારે છે તેમ તું પણ આમ જ જિંદગીને દુઃખમાંથી બહાર લાવી આગળ ધપાવ. વળી સાંજની લાલી પછી રાતનું અંધારૂં ફેલાય તો છે પણ યાદ રહે ત્યાર બાદ ફરી સુરજ આવે છે, દિવસ શરૂ થાય છે અને એમ કાફલો આગળ વધે છે.

કહે છે કે હિંમત જ સર્વેસર્વા છે. તે ધર્મ છે, ઈમાન છે અને ઈશ્વર છે. કહે છે કે તું પણ તેને અપનાવ, તેને બિરદાવ. નીચા મસ્તકે જીંદગી જીવ અને દુનિયામાં છવાઈ જા.

જેમ દીવો એક નાની ચીજ છે અને તેની જ્યોતિ ટમટમતી રહે તે માટે હાથો વડે તેને સંભાળવી પડે જેથી તેની જ્યોત સચવાઈ રહે. તે જ રીતે જીવનમાં પણ આમ જ અન્યોની જ્યોતને તારા હાથોથી સંભાળ કારણ તે બુજાઈ જશે તો તેઓ અર્થહીન બનશે. તે પ્રમાણે તેનો મિત્ર દુઆ માગે છે કે ભગવાન મારા મિત્રની ડગલેને પગલે રક્ષા કરજે અને તેનો બેડો પાર પાડજે.

ઇન્દ્રજીત સિંહ તુલસીનાં શબ્દોને સંગીત આપ્યું છે લક્ષ્મીકાંત પ્યારેલાલે. ગાનાર કલાકારો છે મહેન્દ્ર કપૂર, મન્નાડે અને શ્યામા ચિત્તર.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com