ફરી કુદરતને ખોળે
જગત કીનખાબવાલા
પર્યાવરણ પરિવર્તન સ્થિતિમાં લાંબા સમયગાળામાં થયેલ બદલાવને દર્શાવે છે, જેના કારણો કુદરતી અથવા માનવસર્જિત હોય છે. વર્તમાન સમયમાં પર્યાવરણ પરિવર્તન એ આપણા ગ્રહ પર આવેલ ગંભીર પડકાર છે.
પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે, દરેક જીવને પ્રતિદિન બદલાવનો સામનો કરવો પડે છે અને જે બદથી બદતર થતો જાય છે.
પર્યાવરણ અને કુદરતી ઇકોસિસ્ટમ એકબીજા સાથે સંકળાયેલા અને એકબીજા પર આધારિત છે, અને આ સંકલનમાં સંતુલન રહે તે ઇકોસિસ્ટમ માટે ખૂબ જ અગત્યનું છે.
પર્યાવરણ પરિવર્તન હાનિને અંકુશમાં રાખવા અને અનુકૂળતા સાધવામાં અવરોધક છે. પર્યાવરણ પરિવર્તન સ્થાનિક સ્તરે અસર કરે છે અને તેને વિવિધ શ્રેણીઓ જેવીકે વરસાદ, તાપમાન, કાર્બન ડાયોક્સાઈડની ઘનતા, અને આ બધાની સામૂહિક અસરમાં વહેંચી શકાય છે.
આઘાતજનક સમાચાર
ૐ પર્વત: ૧૪,૦૦૦ ફૂટની ઊંચાઈ પર આવેલ વ્યાસ વેલીના શિખર પરથી બરફ ગાયબ થયો, જેનું કરણ મુખ્યત્વે પ્રવાસન પ્રવૃતિ માનવામાં આવે છે.
“ૐ- આકાર (હિન્દુ માન્યતા મુજબ) પર્વત પર બરફ નથી. બરફ વગર એ સ્થાન ઓળખી પણ શકાતું નથી.

સૌપ્રથમવાર, ગયે સપ્તાહ ઉત્તરાખંડના ૐ પર્વત પરથી બરફ સંપૂર્ણપણે ગાયબ થઈ ગયો, જે મુલાકાતીઓ અને વિશેષજ્ઞો માટે ચિંતાનો વિષય બન્યો. આ ઘટના, છેલ્લાં પાંચ વર્ષોમાં હિમાલયના ઉપરના ભાગે થયેલા ઓછા વરસાદ અને બરફવર્ષાના કારણે થઈ, વધતાં વાહનવ્યવહાર અને પ્રદૂષણ સહિત ગ્લોબલ વોર્મિંગના લીધે આ શિખર સાવ સૂનું પડી ગયું. જોકે, સોમવારે થયેલ બરફવર્ષાના કારણે શક્યતા છે કે પર્વત ફરી શોભી ઉઠે.
વિશેષજ્ઞો બરફના ગાયબ થવાની ઘટનાને અનેક પરિબળો સાથે સાંકળે છે, જેમાં વરસાદ અને બરફવર્ષામાં ઘટાડો, વાહનોનું પ્રદૂષણ અને ગ્લોબલ વોર્મિંગનો સમાવેશ છે. સુનિલ નોટિયાલ, હિમાલયન એન્વાર્ન્મેન્ટની જીબી પંત નેશનલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટર, હિમાલય વિસ્તારના ઇકો સેન્સિટિવ ઝોનના વધતાં તાપમાનને મુખ્ય કારણ તરીકે જણાવી રહ્યાં છે. તેઓએ દરેક સેન્સિટિવ સ્થાનની સહન ક્ષમતા પર વિશેષ ભાર મૂક્યો છે.
એક વાત તો નિશ્ચિત છે કે ૨૨ વર્ષોની સર્વિસમાં પહેલીવાર ઉત્તરાખંડનો ૐ પર્વત બરફ વિહીન થયો છે.
હિમાલય પૃથ્વીની સૌથી નવી પર્વત શ્રેણી છે. પર્યાવરણમાં અસ્થિરતા વધુ છે અને તેથી અહીં વિવિધ બાયોડાયવર્સિટી વિકસી છે, જે ત્યાંના રહેવાસી મનુષ્યોને સહાયક છે.
પર્વતો પર વધતાં તાપમાન અને પર્યાવરણ પરિવર્તનના કારણે અહીં ખેતી વાડી પર નોંધપાત્ર અસર જોવા મળી છે. જેઓ ઊંચાઈ પર જઈ શકે છે, તેઓ સ્થળાંતર કરી ગયા છે. આ પરિવર્તન બાયોડાયવર્સિટી પર એક ગંભીર ખતરો છે, જેમકે તણાવ, માનવીય હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરને નુકસાન, પૂર જેવી કુદરતી આફતો.
પર્યાવરણ પરિવર્તનની આડકતરી અસરોમાં રોગચાળો ફેલાવતા જંતુઓ અને તેને કારણે થતા રોગ (મેલેરિયા, ડેંગુ તાવ અને અન્ય બીમારીઓ), સ્થાનિક ઇકોલોજીમાં બદલાવના કારણે પાણી જન્ય અને ખોરાક જન્ય જંતુઓના કારણે થતા ઝાડા-ઉલ્ટીના રોગનો ફેલાવો પણ જોવા મળે છે. આવા અનેક ગંભીર મૃત્યુ ના સમાચાર પૃથ્વીના અન્ય ભાગમાં પણ જોવા મળી રહ્યાં છે.
પર્યાવરણ પરિવર્તનના કારણે વધતાં બાષ્પીભવનથી પાણીની ઉપલબ્ધિ પણ ઓછી થઈ રહી છે, જેથી શુદ્ધ પાણી મળતું નથી, જેનાથી સ્વચ્છતા જળવાતી નથી અને પાણી જન્ય રોગ ફેલાય છે.
જમીનના તાપમાનમાં વધારો અને વરસાદમાં બદલાવ આવતા, મચ્છરની પ્રજાતિમાં બદલાવ આવે છે અને હાલમાં ઊંચાઈ પર પણ મેલેરિયાના મચ્છરો જોવા મળ્યા છે. મેલેરિયા, ટીક આધારિત રોગ અને અન્ય બીમારીઓમાં પર્યાવરણમાં આવેલ બદલાવના કારણે વધારો થયો છે અને તેનાથી હિમાલયના રહેવાસીઓનું સ્વાસ્થ્ય જોખમમાં મુકાયું છે.
પક્ષીઓમાં મચ્છરના કારણે થતા મેલેરિયાને એવિયન મેલેરિયા કહે છે. નાજુક પક્ષીઓ, જેમનામાં પ્રતિકારતા નથી હોતી, તેઓની સંખ્યામાં ઘટાડો થયો છે.
તેઓ પોતાને અનુકૂળ વાતાવરણમાં રહેતા હોય છે. તેઓ એક નિશ્ચિત ઊંચાઈ પર રહેતા હોય છે, પરંતુ ૐ પર્વત પર હાલમાં આવશ્યક ઓછું તાપમાન નથી મળતું જેથી મચ્છરોને ટાળવું અને વિવિધ બાયોડાયવર્સિટીનું ત્યાં વસવું મુશ્કેલ બન્યું છે.
પાણીના સ્રોતો અને પર્યાવરણ પરિવર્તન
પર્વતીય વિસ્તારોમાં પર્યાવરણ પરિવર્તનની આડઅસર જોવા મળે છે. IPCC (ઇન્ટરગવર્મેન્ટલ પેનલ ઑન ક્લાઇમેટ ચેન્જ) મુજબ, પ્રજાતિઓની જેનેટિક ડાયવર્સીટીની શ્રેણીમાં ઘટાડો થવાની શક્યતા અને હિમાલયમાં ગ્લેશિયર ઓગળવાથી પૂરમાં વધારો, જેનાથી આવનારા દાયકાઓમાં પાણીના સ્રોતોની ઉપલબ્ધિમાં ઘટાડો જોવા મળે તેવી શક્યતા છે. 15 થી વધુ મહત્વપૂર્ણ ગ્લેશિયર આધારિત નદીઓ અને ડઝન થી વધુ ગ્લેશિયર હોવાના કારણે ઉત્તરાખંડમાં શુદ્ધ પાણીના અનેક સ્રોતો આવેલા છે.
IPCC વધુમાં જણાવે છે કે ગ્લેશિયર પિગળવાના કારણે ભવિષ્યમાં અનેક નદીઓ મોસમી નદીઓ બનશે, જે ત્યાંના વિસ્તારોની આર્થિક પરિસ્થિતિ પર અસર કરશે. જેમ ગંગોત્રી માંથી ગંગા નદી નીકળે છે, પર્યાવરણ પરિવર્તન થી ગ્લેશિયર પિગળવાના કારણે ત્યાંના લોકોના જીવનનિર્વાહ અને ઇકલોજીકલ સંતુલન પર પણ અસર પડશે. ગઈ સદીથી પર્વતીય વિસ્તારોમાં જોવા મળતા ગ્લેશિયરના ઘટાડા અને ઓછા બરફની સ્થિતિ પર્યાવરણ પરિવર્તનને આભારી છે. હિમાલયના ઊંચાઈવાળા વિસ્તારોમાં તાપમાન વધવાને કારણે ગ્લેશિયરમાં ઘટાડો અને સરોવરોમાં વધારો જોવા મળ્યો છે. માનવીય પ્રવૃતિઓ જેમકે વસાહતો, હાઈડ્રોજન ઉત્પાદન, માઇનિંગ અને પર્વતોમાં જંગલ પ્રવાસનના કારણે ગ્લેશિયલના જોખમો વધ્યા છે જેમાં મોરેન ડેમ ફેલિયર અને ગ્લાસિયલ લેક આઉટબરસ્ટ ફ્લડ(GLOF) નો સમાવેશ છે અને જેના ગંભીર પરિણામો આવે છે. પર્યાવરણ પરિવર્તન હિમાલયન ગ્લેશિયર માટે ખતરો બની ગયું છે અને પૂરમાં વધારો તેના કારણે થઈ રહ્યો છે. વૈશ્વિક તાપમાનમાં વધારો થવાના કારણે ગ્લેસિયલ લેક ફટવાના અને પૂર આવવાના બનાવો વધ્યા છે અને ગ્લેસિયલ લેકના વિસ્તરણમાં પણ અસર થઈ છે.
આ સરોવરોના ફાટવાથી વસાહતોને ભારે નુકસાન થાય છે દાત જૂન 2013 માં ઉત્તરાખંડમાં કેદારનાથની આફત. ઉત્તરાખંડમાં સામાન્ય કરતાં 2 અઠવાડિયા વહેલો વરસાદ જોવા મળ્યો, જેથી વાદળ ફાટ્યું અને (૧૨૪.૫ ± ૨૪૪.૪ મીમી) ભારે વરસાદ હિમાલયના અનેક વિસ્તારોમાં જોવા મળ્યો. વધુમાં, ઉપરના વિસ્તારમાં ભારે વર્ષના કારણે ચોરાબારી સરોવરની સીમા તૂટી જતાં પાણીનો પ્રવાહ જોરથી આવ્યો. આના પરિણામે મોટા પથ્થરો સાથે પાણીનો પ્રવાહ કેદારનાથ, રામબરા, ગૌરીકુંડ અને અન્ય નગરોમાં ફરી વળ્યો.
હિમાલયની મહત્વપૂર્ણ ગ્લેશિયર ગંગોત્રી ગ્લેશિયર ૧૯૩૦ માં૨૫ કિમી જેટલી માપવામાં આવી હતી, જે આજે ૨૦ કિમી જેટલી રહી ગઈ છે.
વિશ્વભરમાં પર્યાવરણ પરિવર્તન એક મોટું જોખમ બની ગયું છે અને ત્રણેય ઋતુ વર્ષા, શિયાળો અને ગરમીમાં ભારે બદલાવ આવ્યા છે.
પરીક્ષણો અને અભ્યાસ બહુ થયા હવે સમય છે વર્તનમાં પરિવર્તન લાવવાનો. આ એક નિશાની છે કે વિશ્વ છઠ્ઠી વાર માનવ વિનાશ તરફ જઈ રહ્યું છે, જેનું કારણ માનવસર્જિત છે.
*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*
* Love – Learn – Conserve*
લેખક:
જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214
