ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ

ભગવાન થાવરાણી

હસન કમાલ સાહેબે ફિલ્મોમાં ગીતકાર તરીકે પદાર્પણ પણ કર્યું એ પહેલા જ ‘ બ્લિટ્ઝ ‘ સાપ્તાહિકના તંત્રી તરીકે પોતાની કારકિર્દીમાં ખ્યાતિ પ્રાપ્ત કરી ચૂક્યા હતા. અન્ય કેટલાક ઉર્દુ પત્રોમાં પણ એમના કટાર લેખનથી એ લોકપ્રિય હતા.

ફિલ્મોમાં ગીતલેખન ની શરૂઆત એમણે બી આર ચોપડાની ‘ નિકાહ ‘ ( ૧૯૮૨ ) ફિલ્મથી કરી. આશરે ૨૫ ફિલ્મોમાં ગીતો લખ્યા. એમાંની કેટલીક ફિલ્મો એટલે નિકાહ ઉપરાંત મઝદુર,  ઇન્સાફ કૌન કરેગા, આજ કી આવાઝ, ઐતબાર, તવાઇફ, દહલીઝ, બીવી હો તો ઐસી, હથિયાર વગેરે. ફિલ્મ ક્ષેત્રે એમનો ઉદય અભિનેત્રી સલમા આગા સમાંતરે થયો.

એમની લખેલી બે જાણીતી ગઝલો :

દિલ કે અરમાં આંસુઓ મેં બહ ગયે
હમ વફા કરકે ભી તન્હા રહ ગયે

જિંદગી એક પ્યાસ બન કર રહ ગઈ
પ્યાર કે કિસ્સે અધૂરે રહ ગયે

શાયદ ઉનકા આખરી હો યે સિતમ
હર સિતમ યે સોચ કર હમ સહ ગયે

ખુદ કો ભી હમને મિટા ડાલા મગર
ફાસલે જો દરમિયાં થે રહ ગયે ..

 

–  ફિલ્મ : નિકાહ ૧૯૮૨
– સલમા આગા
– રવિ

કિસી નઝર કો તેરા ઇન્તઝાર આજ ભી હૈ
કહાં હો તુમ કે યે દિલ બેકરાર આજ ભી હૈ

વો વાદિયાં વો ફિઝાએ કે હમ મિલે થે જહાં
મેરી વફા કા વહીં પર મઝાર આજ ભી હૈ

ન જાને દેખ કે ક્યોં ઉનકો યે હુઆ અહેસાસ
કે મેરે દિલ પે ઉન્હેં ઇખ્તિયાર આજ ભી હૈ

વો પ્યાર જિસકે લિયે હમને છોડ દી દુનિયા
વફા કી રાહ મેં ઘાયલ વો પ્યાર આજ ભી હૈ

યકીં નહીં હૈ મગર આજ ભી યે લગતા હૈ
મેરી તલાશ મેં શાયદ બહાર આજ ભી હૈ

ન પૂછ કિતને મોહબ્બત મેં ઝખ્મ ખાયે હૈ
કે જિનકો સોચ કે દિલ સોગવાર આજ ભી હૈ..

ઝિંદગી ક્યા કોઈ નિસાર કરે
કિસે દુનિયા મેં કોઈ પ્યાર કરે
અપના સાયા ભી અપના દુશ્મન હૈ
કૌન અબ કિસકા ઐતબાર  કરે ..

અંતે આપેલું મુક્તક આશા ભોંસલેના કંઠમાં ગઝલના અંતે ગવાય છે.

–  ફિલ્મ :  ઐતબાર ૧૯૮૫
–  ભુપેન્દ્ર/ આશા ભોંસલે
– બપ્પી લાહિરી


શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.