આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.

આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

સંપાદન મડળ – વેબ ગુર્જરી


પોપટલાલ ગોવિંદલાલ શાહ

કેવળ સત્યને માટેની જિજ્ઞાસા આ ગુણો વિના નિષ્ફળ જાય છે. તથ્યો એકઠા ફરવાની ઇચ્છા ઘણીયે હોય  તો પણ  તે બારીક નિરીક્ષણ અને ચોકસાઈયી પ્રાપ્ત કરવામાં ન આવ્યાં હોય અયવા તો તેમને સ્પષ્ટતાથી વર્ણવવામાં ન આવ્યાં હોય તો બધી મહેનત વ્યર્થ જાય છે. વિજ્ઞાનનો પાયો ચોકસાઈથી પ્રાપ્ત કરેલાં તથ્યો ઉ૫૨ રચાયેલો હોય છે. તેથી તેમના નિર્ણયમાં કે વર્ણનમાં કોઈ પણ ઠેકાણે અચોક્કસતા જણાય તો સર્વ કાર્ય દોષિત થાય છે અને તજી દેવું પડે છે.  આ ચોકસાઈ જેટલી આવશ્યક છે તેટલી જ પ્રાપ્ત કરવી કઠિન છે. ઘણાં બાળક પોતાના જાગ્રત અને સ્વપ્નાવસ્થા અનુભવ વચ્ચેનો ભેદ સમજી શકતાં  નથી, અને સ્વપ્નને પણ સાચું માને છે.

તેવી જ રીતે પ્રાચીન સમયના કેટલાએક મુસાફરોએ પોતાના અનુભવનાં વર્ણન કરતી વખતે પોતે નજરે જોયેલી ખરી હકીકતો, બીજા લોકોએ કહેલી વાતો, અને પોતાના માનસિક અભિપ્રાયો એકઠા કરી નાખ્યાં છે. આવી નોંધપોથીઓ વૈજ્ઞાનિક સમન્વેષણમાં નિરુપયોગી થઇ પડે છે. એક સાધારણ બનાવની હકીકત ત્રણ ચાર જુદાં જુદાં મનુષ્યો જુદી જ રીતે કહેશે. તેની ચોકસાઈથી અને પોતાના અંગત અભિપ્રાયથી રંગ્યા સિવાય વર્ણન કરનારા ઘણા ઓછા જ મળશે. પ્રયોગથી એમ સિદ્ધ થયું છે કે એક જ નાટ્યપ્રયોગનાં વર્ણનો પણ જુદા જુદા વિદ્યાર્થીઓ એકસરખી ચોકસાઈથી લખી શકતા નથી.

પરતુ આ ચોકસાઈ ની ટેવ પ્રાપ્ત કર્યા વિના વૈજ્ઞાનિકોને ચાલે તેમ નથી. સર માયકેલ ફોસ્ટર નામના વિખ્યાત વૈજ્ઞાનિકના શબ્દોમાં કહીએ તો “સાધારણ” અનભિજ્ઞ અવૈજ્ઞાનિક મનુષ્યોને “લગભગ” “આશરે”, “ચાલશે” એવા શબ્દોથી ધણી વાર સંતોષ મળે છે. પરતુ કુદરતને તેથી સંતોષ થતો નથી. એ વસ્તુઓમાં ચોખાપુર અથવા તો ચોખાના સહસ્ત્રાંશ જેટલો પણ ફેર હોય તો કુદરત તો તે બને વસ્તુઓને જુદી જ ગણશે.  સાધારણ મનુષ્ય પોતાની દુનિયાદારીની રેવ પ્રમાણે વૈજ્ઞાનિક પ્રક્રિયાઓમાં આ સુક્ષ્મ ભેદ સમજ્યા વગર કામ કરવાની ધૃષ્ટતા રાખે તો કુદરત તેને ક્ષમા આપવાની નથી. આ ઝીણા ભેદ જોઇ નહિ શકવાથી જ્ઞાનનો માર્ગ હાથમાં આવેલો છતાં દેખી રાકાતો નથી, અતે કુદરતના ખજાનાની ચાવી સમીપ હોવા છતાં તેનો લાલ લઈ શકાતો નથી. વરાળયત્ર જેવા ય’ત્રતી બનાવટમાં આવી ચોખાપુર પણૃ ભૂલ કરવાથી કોઈવાર તે યંત્રની અને વાપરનાર મનુષ્યની પોતાની સહીસલામતીનો પણ ભોગ આપવો પડે છે. આવી બારીકાઇ અને ચોકસાઈથી બનાવાતાં યંત્રો અને હથિયારો દરેક દેશની ઔદ્યોગિક સ્વતંત્રતાના પાયા રૂપ છે.


ક્રમશઃ


હવે પછીના મણકામાં વૈજ્ઞાનિક વૃત્તિનાં બીજાં એક લક્ષણ “સૂક્ષ્મ નિરીક્ષણની ટેવ” વિશે વાત કરીશું.