ફિલ્મી ગઝલોનું નાનકડું પણ અનોખું વિશ્વ
ભગવાન થાવરાણી
થોડાક હપ્તા પહેલા આપણે મધુકર રાજસ્થાનીની ગઝલો જોઈ. વર્ષો લગી એમના માત્ર ગૈર – ફિલ્મી ગીત અને ભજનો સાંભળ્યા બાદ કલ્પના કરવી મુશ્કેલ હતી કે એમણે ફિલ્મી ગીતો અને ગઝલો પણ લખી હશે.
બિલકુલ આ જ કિસ્સો ફૈયાઝ હાશમીનો છે. ઉત્તમોતમ ગૈર – ફિલ્મી ગીતકાર એવા આ સર્જકના સદાબહાર બિન – ફિલ્મી ગીતો ઉપર નજર નાખીએ તો ખ્યાલ આવે કે આપણે કઈ હસ્તીના લેખનની વાત કરીએ છીએ :
– આજ જાને કી ઝિદ ના કરો – ફરીદા ખાનમ ( અને અન્ય ગાયકો પણ )
– તસવીર તેરી દિલ મેરા બહેલા ન સકેગી – તલત મહેમુદ
– યે રાતેં યે મોસમ યે હંસના હંસાના – પંકજ મલિક
– દિલ કો હૈ તુમસે પ્યાર ક્યું યે ન બતા સકુંગા મૈં – જગમોહન
– ભલા થા કિતના અપના બચપન – હેમંતકુમાર
જી હા, આ બધા અનમોલ રત્નોના રચયિતા ફૈયાઝ હાશમી જ છે !
વિભાજન પછી એ પાકિસ્તાન જતા રહેલા અને ત્યાં પણ ઘણી ફિલ્મોમાં ગીતો લખ્યા. કહેવાય છે કે બંને દેશોમાં ફિલ્મી અને ગૈર ફિલ્મી મળીને એમણે 2000 જેટલી રચનાઓ લખેલી !
એક રસપ્રદ આડ વાત. પાકિસ્તાનમાં એક ફિલ્મ બનેલી. બેદારી (૧૯૫૬ ). એ ફિલ્મ અહીં ભારતમાં બનેલી સત્યેન બોઝની ‘ જાગૃતિ ‘ ( ૧૯૫૪ ) ની બેઠી ઉઠાંતરી હતી એટલું જ નહીં, એના ગીતો પણ અસલ ‘ જાગૃતિ ‘ ના ગીતો ‘ દે દી હમે આઝાદી બિના ખડગ બિના ઢાલ ‘ , ‘ હમ લાયે હે તુફાન સે કશ્તી નિકાલ કે ‘, ‘ આઓ બચ્ચોં તુમ્હેં દિખાએ ઝાંકી હિન્દુસ્તાન કી ‘ અને ‘ ચલો ચલે માં ‘ મા એકાદ-બે શબ્દોનો ફેરફાર કરી બેઠી નકલ કરવામાં આવી હતી અને આ ગીતોના લેખક તરીકે પણ નામ હતું ફૈયાઝ હાશમી સાહેબનું !
આંગળીના વેઢે ગણાય એટલી ભારતીય ફિલ્મોમાં પણ તેમણે ગીતો લખ્યા. એમની બે ગઝલો :
નીગાહોં સે શર્તે – વફા લીજીયેગા
ઈશારોં સે દિલ મેં બુલા લીજિયેગા
મુહબ્બત કો ઉલ્ફત બના લિજિયેગા
મેરી ચાહતોં કો છુપા લીજીયેગા
યે મેહફીલ હૈ રંગીં -મિજાઝોં કી બસ્તી
યહાં દામને દિલ બચા લિજીયેગા
શરાબે મુહબ્બત મેં ભર ભર કે સાગર
લગી આગ દિલ કી બુઝા લિજીયેગા
જવાની કી મસ્તી ભરી શોખીયોં મેં
મેરી હસરતેં ભી છુપા લિજીયેગા
મેરી જાન હૈ ઔર મુહબ્બત કી દુનિયા
બતા દીજીએ આપ ક્યા લિજીયેગા..
– ફિલ્મ : સુબહ શામ – ૧૯૪૪
– અનીમા દાસગુપ્તા
– સુબલ દાસગુપ્તા
ન દિલ હમારા ન તુ હમારા, ન યું નિભેગી ન યું નિભેગી
કહીં નદી હૈ કહીં કિનારા, ન યું નિભેગી ન યું નિભેગી
કભી હંસા કર રુલાયા હમકો, કભી રૂલા કર હંસાયા હમકો
કભી ડુબાયા કભી ઉભારા, ન યું નિભેગી ન યું નિભેગી
ગલે મેં હિચકી જિગર મે છાલે પલક પે આંસુ ઝુબાં પે તાલે
કહાં પે જાયે નસીબ મારા, ન યું નિભેગી ન યું નિભેગી
હૈ નીંદ મેરી તો ખ્વાબ તેરે, સવાલ મેરે જવાબ તેરે
ન હમ મે હિંમત ન તો સહારા, ન યું નિભેગી ન યું નિભેગી..
– ફિલ્મ : ગિરિ બાલા – ૧૯૪૭
– કલ્યાણી દાસ
– શંકર દાસગુપ્તા
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ ટપાલ સરનામે કરી શકાય છે.
