આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આજથી ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર ગુજરાતી ભાષામાં શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે. અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.
સંપાદન મડળ – વેબ ગુર્જરી
તથ્ય પ્રાપ્તિ
વિજ્ઞાનના અંતિમ પરિણામોના સત્યનો મુખ્ય આધાર આ પ્રાથમિક તથ્યની વાસ્તવિકતા ઉપર રહે છે અને તેથી આ કાર્ય ઘણું જ સંભાળથી કરવું પડે છે. વિજ્ઞાનની “ ચોકકસ ” ગણાતી શાખાઓમાં ખગોળવિદ્યા પ્રથમ છેઃ કારણ કે તેનાં તથ્યો હજારો વર્ષોથી નિર્ણિત થતાં આવે છે. પ્રાચીન સમયમાં જ્યોતિષની દષ્ટિએ ખગોળવિદ્યાનો અભ્યાસ યતો તેથી ગ્રહો અને નક્ષત્રો સિવાય દૂરના તારા સંબંધી મનુષ્યનું જ્ઞાન ઘણું ઓછું હતું. તે જ્ઞાન ચોકસાઇથી મેળવનારા અને આકાશનો નકશો તૈયાર કરનારા ખગોળવેત્તાઓએ વર્ષો સુધી મહેનત કરી છે. ટાઈકોયાહી (૧૫૪૬-૧૬૦૧) નામના ઉમરાવ કુટુંબના એક ખગોળવેત્તાએ પચીસ વરસ સુધી ફક્ત આકાશના તારાઓનું નિરીક્ષણ કરી તેની નોંધ લીધા કરી હતી. તેના ચોક્કસ નિરિક્ષણને લીધે કેપ્લરનું નિયમશોધનનું કામ સરળ થયું હતું. હર્ષલ નામનો ખગોળવેત્તા વર્ષો સુધી આખી રાત તારાની ગતિની દૂરબીનવતી નોંધ કરતો, શ્વાબે નામના એક ખગોળવેત્તાએ સૂર્યમાં દેખાતાં ધાબાં ત્રીસ વરસથી વધુ સમય સુધી રોજ દૂરબીનથી તપાસ્યાં છે, હજુ પણ આકાશ જોવાનું અને નવા તારાઓ નીરખવાનું અને તેમના ચોક્કસ સ્થાનનું નિર્ણય કરવાનું કામ પૂરૂં થયું નથી. સેંકડો વર્ષો પહેલાં શરૂ થયેલું તારાની યાદી બનાવવાનું કામ અખૂટ મહેનત અને શ્રમ ઉઠાવવા છતાં હજુ પણ સમાપ્ત થયું નથી, એ ઉપરથી વિજ્ઞાનની હકીકતો ઉપરથી તથ્યો ઉપજાવવાનું કામ કઠિન છે તેનો ખ્યાલ આવશે.
તથ્યની વ્યવસ્થા
આ પ્રમાણે તથ્યો એકઠાં કર્યા પછી પણ તેમને વર્ગ પાડીને વ્યવસ્થાપૂર્વક ગોઠવવાનું કામ સહેલું નથી. અસંખ્ય હકીકતોને ત્રુટક રીતે એકઠી કરવાથી અને તેમની માત્ર મોટી સંખ્યાથી મનુષ્યની બુદ્ધિ તેમાંથી લાભ ઉઠાવી શકતી નથી. પરંતુ આ ત્રુટક હકીકતોને ક્રમવાર અને વ્યવસ્થાપૂર્વક ગોઠવતાં તેમાથી કાંઈક નિયમ અને વ્યવસ્થાનો ઉદ્ભવ થાય છે ત્યારે જ જ્ઞાનનો ખરો વધારો થાય છે. વિચાર અને વ્યવસ્થા વગર હકીકતો પ્રાપ્ત કરવામાં સમય અને મહેનતનો વ્યય વ્યર્થ જાય છે. નવા પ્રાણીઓની શોધ કરવી, નવા નવાં રાસાયણિક દ્રવ્યો બનાવવાં, ભૂગોળના અજ્ઞાત પ્રદેશોની શોધ અને નોંધ કરવી વગેરે કેવળ તથ્યો એકઠાં કરવાનાં કામ અગત્યનાં છે, પરંતુ આ તથ્યોને જ્યાં સુધી ક્રમવાર અને વ્યવસ્થાપૂર્વક ગોઠવવામાં આવે નહે ત્યાં સુધી તે ઉપયોગી થતાં નથી. કેવળ નવાં તથ્યો શોધવાની જિજ્ઞાસાને બદલે જૂના નિયમોની શોધમાં અને તેમની વાસ્તવિકતાની વધુ સાબિતી મેળવવાને માટે જ પ્રયાસો થવા જોઈએ. નવાં રાસાયનિક દ્રવ્યો ફક્ત શોખને માટે બનાવાતાં નથી. પણ અમુક રાસાયનિક સંયોજન કે બંધારણના નિયમોની વાસ્તવિકતા સિદ્ધ કરવાના હેતુથી જ એ પ્રયોગો કરવામાં આવે છે. નહિ તો પછી હેતુ વગરની એ બધી પ્રવૃત્તિ વ્યર્થ જાય છે, આવી જ રીતે બીજા વિષયોમાં પણ વિજ્ઞાનનાં નવાં તથ્યો અમુક નિયમ કે અમુક વિચારસંહિતાના સમર્થનને માટે શોધવામાં આવે છે. તેવી શોધમાં ઘણીવાર નવી નવી વિચિત્ર ઘટનાઓ પણ મળી આવે છે, અને તે ધટનાઓની વ્યવસ્થાપૂર્વક ગોઠવણ કરવાનું કામ ઘણું અગત્યનું છે. પક્ષીઓના સંચાર સંબંધી તથ્યો એકઠાં કરનાર એક વૈજ્ઞાનિકને તે તથ્યો એકઠાં કરતાં જેટલો સમય લાગ્યો હતો તેના કરતાં વધુ સમય તેમનુ’ પૃથક્કરણ કરીને, તેમને વ્યવસ્થાપૂર્વક ગોઠવવામાં લાગ્યો હતો. એ અને એનાં જેવા અનેક અન્વેષકોનાં દૃષ્ટાંતો પ્રસિદ્ધ છે.
આ વ્યવસ્થાપૂર્વક વર્ગીકરણનું પ્રયોજન નિયમશોધનનું છે . અસંખ્ય ત્રુટક અને અસંબદ્ધ લાગતાં તથ્યોમાંથી એક નિયમ તારવવો એ ધણા શ્રમનું કાર્ય છે. કેટલાએક પ્રતિભાશાળી વૈજ્ઞાનિકો પોતાની કલ્પનાર્શાક્તિ ઉપર આધાર રાખીને આ શ્રમ બચાવી લે છે. જડ અ’ધકારમાંથી જેમ બ્રહ્મના ચિતનથી[1] સૃષ્ટિનું સર્જન થયું ગણાય છે, તેવી જ રીતે ત્રુટક અસંખ્ય અને વિવિધ હકીકતોના અંધકારમાંથી વૈજ્ઞાનિકોને ચિતનથી એ હકીકતો સમજાનવનાર નિયમનું ઘણીવાર ઓચિંતુ સ્ફુરણ યાય છે; આ સ્ફુરણમાં કલ્પનાશક્તિ ધણીવાર ઉપયોગી યઈ પડે છે. ન્યૂટનને ગુસ્વાકર્ષણનો નિયમ ઝાડપથી સફરજનને પડતું જોવાથી સ્ફુર્યો હતો એમ કહેવાય છે. ડાર્વિનને ઉત્ક્રાન્તિતાદ માલ્થસના ‘અતિ-પ્રજનન’ એ તિષયના પુસ્તક ઉપરથી સ્ફુર્યો હતો; શક્તિના સંરક્ષણનો નિયમ પણ મેયર નામના દાક્તરને જ્વરમાં દરદીઓના અશુદ્ધ રકતનો અસાધારણ લાલ રંગ જોવાને લીધે સ્ફુર્યો હતો. (ઉષ્ણ પ્રદેશોમાં લોહીનુ’ ભસ્મીકરણ[2] ઓછું થાય છે; તેથી ખોરાક ઓછો લેવાય છે; તેથી ખોરાક અને બળના સંબધ વિષે વિચાર કર્યો હતો.) તે છતાં આવાં સ્ફુરણોમાં કે કેવળ કલ્પનાર્મા સાફલ્ય નથી; ત્રણે દષ્ટાંતોમાં સ્ફુરણા મળ્યા પછી તેમતી કલ્પનાને સિદ્ધ કરતાં એ દરેક અન્વેષકને પંદરથી વીસ વર્ષ લાગ્યાં હતાં, અને એટલાં વર્ષોને અંતે જ તેમણે પોતાના સિદ્ધાન્તો જાહેર કર્યા હતા. એમની કલ્પનાશકિતના કરતાં એમની મહેનત, ખ’ત અને ધીરજ એ વિજ્ઞાનના ઇતિહાસમાં વધારે યાદગાર રહેશે.
હવે પછીના અંશમાં “નિયમશોધન”વિશે વાત કરીશું.
ક્રમશઃ
[1] “Spirit brooding over chaos”
[2] Oxidation
