સંકલન અને રજૂઆત: અશોક વૈષ્ણવ

વિરોધાભાસનાં વર્ગીકરણમાં આપણે એક પ્રકાર તાર્કિક વિરોધાભાસનો નક્કી કર્યો હતો. તો, હવે આપણે તાર્કિક વિરોધાભાસનાં કેટલાંક બહુખ્યાત ઉદાહરણોની વાત માંડીશું.

સૌ પ્રથમ આપણે એવા તાર્કિક વિરોધાભાસો લઈશું જે સામાન્યતઃ તો વિરોધાભાસી કથનો લાગેજ,પણ તેમાં સત્યનો અંશ પણ એટલો જ હોય. જો કે એકવાર તમે સપાટી પરથી થોડાં ઊંડે ઉતરો, એટલે  વાસ્તવિક જીવનના કેટલાંક જ્ઞાન અને અનુભવનાં મોતી પણ મળી આવે છે!

# : જે લોકો ભરોસો કરી શકતા નથી, તેમના પર વિશ્વાસ કરી શકાતો નથી.

કોઈ વ્યક્તિ પરનો ભરોસો એ આપણી એવી માન્યતા છે કે તે પ્રામાણિક અને નિષ્ઠાવાન છે અને જાણી જોઈને તમને, કે કોઈને, નુકસાન પહોંચાડવા માટે કંઈ પણ કરશે નહીં. તેથી, કોઈ પણ સંબંધના વિકાસ માટે, અને પછી તે  સંબંધને ટકાવી રાખવા માટે ભરોસો એ પાયાનો પથ્થર બની જાય છે.

મોટા ભાગે, માનવ સ્વભાવમાં જ ભરોસો  રાખવાની સંભાવના વધારે હોય છે. આમ તો તે આપણા જનનીય બંધારણમા હોય છે અને આપણા બાળપણના શિક્ષણમાં તેને પોષણ મળે છે. બીજી દૃષ્ટિએ જોઈએ તો તે માનવ અસ્તિત્વ ટકાવી રાખવાની એવી પદ્ધતિ છે જેણે માનવ જાતની સારી રીતે સેવા કરી છે. મૂળે જ માણસ સામાજિક પ્રાણી છે: જન્મતાંની સાથે જ  કોઈ ને કોઈ સાથે વ્યસ્ત રહેવાનું અને સંપર્કમાં આવતી લગભગ દરેક વ્યક્તિ સાથે સંબંધ જોડવાનું જ તે વલણ ધરાવે છે. તેનું સહજ કારણ તેનો સામેની વ્યક્તિ પરનો ભરોસો છે. આમ, હકીકતમાં, ઘણી રીતે, ભરોસો એ આપણી મૂળભૂત લાક્ષણિકતા જ કહી શકાય. મોટા ભાગની સામાજિક પરિસ્થિતિઓમાં આપણે નિયમિતપણે, સ્વાભાવિક પ્રતિક્રિયાથી, કંઈક અંશે અવિચારી રીતે પણ, ભરોસો રાખી બેસતાં હોઈએ છીએ.

માણસ જેટલી સહજતાથી ભરોસો કરે છે, તેટલી જ ભૂલો પણ કરે છે. ભરોસો રાખવાની ખૂબ જ કુદરતી વૃત્તિ આપણને શોષણપાત્ર પણ એટલી જ  બનાવે છે. ખૂબ સહેલાઈથી, બહુ વધારે અને ખૂબ લાંબા સમય સુધી કોઈ પર વિશ્વાસ કરવાની આપણી વૃત્તિને વધારતી બે જ્ઞાનાત્મક ભ્રમણાઓને સંશોધકોએ ઓળખી કાઢી છે.

પહેલી છે વ્યક્તિગત અભેદ્યતાની ભ્રમણા છે, જે આપણે જીવનની કેટલીક કમનસીબીનો અનુભવ કરીએ તેવી શક્યતા નથી એમ વિચારતાં રહીએ છીએ તેમ દર્શાવે છે. તેમ છતાં આપણે સહેતુકપણે સમજીએ પણ છીએ કે આવા જોખમ અસ્તિત્વમાં તો હોય જ છે. આ ભ્રમણા માટેનું એક કારણ, એવી દલીલ, કરવામાં આવે છે, કે બહુ સરળતાથ આપણે અમુક  પ્રકારનાં વળતર આપનાર ગણતરીઓમાં વ્યસ્ત રહીએ છીએ. જેને પરિણામે આપણે એવું માની બેસવાની વૃત્તિ ધરાવીએ છિએ કે આવાં જોખમોને ઘટાડવા માટે આપણે જે જે પગલાં લીધાં છે તે તમામ પગલાં યાદદાસ્તમાંથી યાદ કરી લઈએ છીએ (ઉદાહરણ તરીકે કોઈ ચોક્કસ શેર ખરીદવાની ટીપ પર ભરોસો આખવો.) અન્ય લોકોની પાત્રતા અથવા વિશ્વસનીયતા ચકાસવા માટે ત્રીજા પક્ષની નિર્ણય શક્તિ અને અભિપ્રાયો સ્વતંત્ર રીતે લેવાયેલ છે એવી આપણી જાતને ખાતરી આપીએ છીએ. આપણા અભિપ્રાયો અને મંતવ્યો આડે પાટે ચડવામાં આપણે જે જોવું હોય છે એ અને તેટલું જ જોવાની આપણી વૃત્તિ પણ ખાસ્સી કારણભૂત બની રહેતી હોય છે. અને આટલું ઓછું હોય એમ માની લેવાની વૃત્તિ પણ ધરાવીએ છીએ કે આપણા, કોના પર વિશ્વાસ કરવો તેના સહિતના, નિર્ણયો બીજાં સરેરાશ લોકો કરતાં વધુ સારા હોય છે).

બીજી, અને પહેલી ભ્રમણા સાથે ઘનિષ્ઠપણે સંકળાયાએલ, છે અવાસ્તવિક આશાવાદ. કેટલાયે અભ્યાસો પરથી એમ તારણ નીકળી શકે છે કે બધું સારં સારૂ જ થશે એમ માની આપણે બહુ જલદી માની લઈએ છીએ.  તે પણ પાછું એટલી હદે કે સાચી પરિસ્થિતિનો બહુ જ વાસ્તવિક ચિતાર સમજાવ્યા પછી પણ જે કંઈ થશે તે સારૂં  તો થશે જ એમ જ માનવાનું તો ચાલુ જ રહે છે.

ભરોસો રાખવાની સહજ વૃત્તિને સામે પક્ષે, સામાન્ય રીતે, જે લોકો તેમના સંબંધોમાં દીર્ઘકાલીન રીતે અસુરક્ષિત હોય છે તેઓ સંબંધોની તોડફોડ કરે તેવી શક્યતાઓ વધુ હોય છે.

કોઈ પણ સંજોગોમાં, ભરોસા અંગેના દરેક નિર્ણય પર શંકાનો પડછાયો રહે છે. જોકે તેની સામે અ પણ એટલું સાચું છે કે સંબંધોમાં શંકાઓ ઘટાડવા માટે ઘણું બધું કરી શકાય છે – ખાસ કરીને, આપણી માનસિકતા અને આપણી વર્તણૂકો અને ટેવોને સમાયોજિત કરીને. ભરોસાને ઘણે અંશે મજબૂત કરવા માટે કેટલાક પ્રારંભિક નિયમો ધ્યાનમાં રાખીએ –

નિયમ ૧ | તમારી જાતને જાણો.

નિયમ ૨ | નાની નાની શરૂઆત કરો.

નિયમ ૩ | છટકબારીના માર્ગની તૈયારીઓ રાખો.

નિયમ ૪ | દૃઢ મનોબળ સાથેના સંકેતો મોકલો.

નિયમ ૫ | અન્ય વ્યક્તિની મૂંઝવણને ઓળખો.

નિયમ ૬ | લોકોની સાથે સાથે તેમની ભૂમીકાઓને  જુઓ.

નિયમ ૭ | જાગ્રત રહો અને હંમેશા પ્રશ્ન કરતાં રહો. [1]

ભરોસો રાખવો કે નહીં એ વિશેની ચર્ચા ક્યારેય પુરી તો નહીં થાય

વધારાનું વાંચન:

[1] Rethinking TrustRoderick M. Kramer