આજથી લગભગ ૧૦૦ વર્ષ પહેલાં વિજ્ઞાન પર લખાયેલ એક પુસ્તકને દર મહિને એક એક પ્રકરણના હિસાબે વેબ ગુર્જરીના વાચકો સમક્ષ રજુ કરવાનો આ એક પ્રયોગ છે.
આશા છે કે આજથી સો વર્ષ પહેલાં વિજ્ઞાન જેવા વિષય પર શું લખાયું હતું અને કેવી શૈલીનો પ્રયોગ થયો હતો તે જાણવા ઉપરાંત વિજ્ઞાનની ઘણી મૂળભુત બાબત વિશે પણ માહિતી મેળવવાનો આ પ્રયોગનો ઉદ્દેશ્ય છે.  અહીં મૂળ પુસ્તકનાં લખાણને તેનાં મૂળ સ્વરૂપે જ મુકવાનો પ્રયાસ કરેલ છે.

સંપાદન મડળ – વેબ ગુર્જરી


પોપટલાલ ગોવિંદલાલ શાહ

આ પુસ્તક પ્રથમ ૧૯૨૬ માં પ્રેસિદ્ધ યયેલું. ત્યાર પછી તેની બીજી આવૃત્તિ ૧૯૩૮ માં ગુજરાત વર્નાકયુલર સોસાયટીએ મને પૂછ્યા વિના છાપી નાખેલી તેથી પુસ્તક સુધારવાની મારી આશાઓ મનમાં ને મનમાં જ રહી ગયેલી.

આજે એકવીસ વર્ષે આ પુસ્તકની નવી આવૃત્તિ કરવાનો પ્રસંગ આવે છે તેતો લાભ લપ્તને તેમાં ઘણા મહત્વના ફેરરારો કરીને, અને ઘણી નવી વૈજ્ઞાનિક માહિતી આપીને તેને અધતન કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમ કરતાં પુસ્તક ધણુ મોટું થઇ જવાનો ભય હતો તેથી કેટલાંએક પ્રકરણો આ સમયમાં જૂના લાગવાથી છોડી દીધા છે અને કૉલેજના વિદ્યાર્થીઓને રસ પડૅ તેવી માહિતી વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. વળી તત્ત્વજ્ઞાન અને ધર્મના પ્રશ્ચોને નવી દૃષ્ટિથી છણવાને માટે તે વિષયનાં પ્રકરણો છોડી દેવામાં આવ્યાં છે. તેમતે નવા રૂપમાં, નવી માહિતી, નવા વિચારો અને નવા વૈજ્ઞાનિક દૃષ્ટિબિંદુથી તપાસીને અર્વાચીન અતે પ્રાચીન વિજ્ઞાનનો સમન્વય કરવાની ઇચ્છાથી ‘વિજ્ઞાનવિવેક’ નામના નવા પુસ્તકમાં સામેલ કરવાર્મા આવશે. આમ કરવામાં મુખ્ય દષ્ટિ આ પુસ્તકને જેમ બને તેમ વધારે સરળ, લોકભોગ્ય તેમ જ અઘતન બનાવવાની છે.

વિજ્ઞાનની પરિભાષા હજી પણ વ્યવસ્થિત કે અંતિમ રવરૂપ પામી નથી. આ લેખકે વિજ્ઞાન સમિતિના રિપોર્ટ (૧૯૨૧) અને સાહિત્ય પરિષદના વિજ્ઞાનવિભાગના પ્રમુખ તરીકે ૧૯૩૭ માં, શ્રી ફાર્બસ ગુજરાતી સભા તરફી પ્રસિદ્ધ કરેલાં “વૈજ્ઞાનિક શબ્દસમૂહ”માં તેમ જ આ પુસ્તકમાં આ દિશામાં પ્રયત્ન કર્યા છે. બીજાયે ઘણા પ્રયત્નો થયા છે, તે સધળાને સ્થાયી રૂપ આપવાનું કામ ગુજરાત યુનિવર્સિટી જેવી સર્વમાન્ય સ’સથાના હાથે જ થઇ શકે. પરંતુ ઘણા વિચિત્ર શબ્દમાં સુધારણા કરવાની જરૂર છે. મોલેક્યુલ માટે અણુ શબ્દ અને એટમ માટે પરમાણુ શબ્દ યોગ્ય હોવાં હતાં દૈનિક છાપાંઓમાં અણુબોંબ જેવો તરજૂમિયો શબ્દ પ્રચલ્લિત યઇ ગયો છે. જાતિ શબ્દ માનવકુલસમૂહોને માટે જ યોગ્ય હોવા છતાં પણ “જાતીય” શબ્દ ખોટા અર્થમાં વાપરવામાં આવે છે. આ અવ્યવસ્થા દૂર કરવાનું મહત્ત્વનું કામ ત્વરાથી ઉપાડી લેવું જોઇએ. વળી શબ્દોને લોકભોગ્ય બતાવવાને માટે ઓકસાઇને બદલે સાદાઇ ઉપર અમુક અંશ સુધી ભાર મૂકવાની પ્રથા પડવી જોઇએ. વિદ્યુતને બદલે વીજ શબ્દ, ‘વિદ્યુદણુ’ બદલે ‘વિજાણુ’ શબ્દ મેં આ જ દૃષ્ટિએ વાપર્યા છે. વૈજ્ઞાનિક, ત્રૈમાસિક જેવા શબ્દને બદલે વિજ્ઞાની, ત્રિમાસી, એવા શબ્દ પણ અર્થસૂચક શબ્દોનો ઉપયોગ શિષ્ટ સાહિત્યમાં અપનાવવો ઘટે છે. આ પુસ્તકમાં સાહિત્યેતર વિષયના વાચકોને પણ સમજ અને રસ પડે તેવી સાદાઇ અને સરળતા સાચવતાં શિષ્ટ સાહિત્ય અને શૈલીના નિયમોનો અજાણ અનાદર થયો હોય તો દરગુજર કરવામાં આવશે એવી આશા છે.

ગુજરાતી વાઙમયમાં વૈજ્ઞાનિક સાહિત્યની ઊણપ બધા જ દેશહિતાચિંતકોને ખૂંચે એ સ્વાભાવિક છે. પરંતુ મરાઠી સાહિત્ય અને મરાઠી વાચકોની સંખ્યાના પ્રમાણમાં ગુજરાતી સાહિત્યમાં વૈજ્ઞાનિક પુસ્તકોની સંખ્યા નાની ન ગણાય, ગુજરાતમાં નવા યુગમાં વિજ્ઞાનને વધતું સ્થાન મળે છે તે વાત ખરી છે, પરંતુ વિજ્ઞાનના વિષયો લેનાર વિઘાર્થીને સાહિત્ય, ભાષા, સમાજશાસ્ત્ર કે અર્થશાસ્ત્ર વાંચવાના કે સમજવાના પસંગો મળતા નથી તેથી વૈજ્ઞાનિક શિક્ષણ એકતરફી થઈ જવાનો સંભવ વધતો જાય છે. વૈજ્ઞાનિકોએ કેવળ પોતપોતાના વિષયો કે ઉપવિષયોમાં દટાઈ જવું જોઈએ નહિ; તેમણે તો વિશ્વને સંકલિત અતે સમન્વિત રૂપમાં જોવું જોઇએ-એ વિચાર ઉપર ભાર મુકવાની ઇચ્છાથી આ પુસ્તકને નવું રૂપ આપ્યું છે. ગુજરાતના નવવિધાનમાં વિજ્ઞાન અતે વૈજ્ઞાનિકોને યોગ્ય સ્થાન મળે, અતે વૈજ્ઞાનિકો કેવળ પોતાતા દૃષ્ટિબિંદુ ઉપરાંત સકળ સૃષ્ટિને સમન્વિત રૂપમાં જોઇ શકે, અને વ્યક્તિ તેમ જ સમષ્ટિના કલ્યાણના માર્ગો સાધી શકે, તેને માટે પોગ્ય માર્ગદર્શન મળે અને પોતાની સાથે સામાન્ય પ્રજાને પણ વિજ્ઞાનપ્રેમી અને વિજ્ઞાન ગુણાનુરાગી બનાવે એવી આશાથી નવી આવૃત્તિ ઝુજરાતી વાચક સમાજને ચરણે ધરતાં લેખકને આનંદ યાય છે.

પ્રકાશનનું કાર્ય ગુજરાત વર્નાક્યુલર સોસાઇટી પાસેથી તેમની સંમતિથી લઈને ગુજરાત સંશોધન મંડળને સોંપવામાં આવ્યું છે. તે ફેરફારની રજા આપવા માટે એ સંસ્થાને ધન્યવાદ ઘટે છે.

લલિત કુંંજ : ખાર                                                                                               પોપટલાલ ગોાવિંદલાલ શાહ
મુંબઈ-ર૧ : તા. ૧૩-૫-૪૭