ફરી કુદરતને ખોળે

જગત કીનખાબવાલા

જગતભાઈ, વાત એવી છે  ને કે ગામથી ફોન આવ્યો છે કે અમદાવાદ નજીકના એક (નામ નથી લખ્યું) મંદિરમાં ખુબ ચકલીઓ છે.

મંદિરની અંદર ગુંબજમાં ચકલઓની વસાહત છે અને તેઓ ઉનાળામાં વર્ષોથી માળા બનાવે છે. સ્વાભાવિક છે કે માળા બનાવતા તેમનાથી થોડો કચરો પણ પડે!

મંદિરનું રીપેરીંગરીં કામ મોટા પાયે ચાલે છે, રંગરોગાન કરવાના છે અને તેના ભાગરુપે છતમાં જાળી નાખવાના છે, જેથી ચકલા ગુંબજના નક્શી કામમાં માળો બનાવી શકે નહિ!

તો  પછી અહીંથી ચકલીની આખી વસાહત ક્યાં જશે અને નિરાકરણ આવી શકે? નજીકના ગામના ચકલી પ્રેમી, મેહુલભાઈ પંચાલ, એક દર્શનાર્થી જેઓ ત્યાં દર્શન કરવા ગયા હતાં તેમને ખબર હતી કે તેમના સગા  શ્રી તૃપ્તિબેન સંજયભાઈ પટેલ, અમદાવાદના ચકલી બચાવો અભિયાનમાં નિયમિત કામ કરી ચકલીની સંખ્યા વધારવાના અભિયાનમાં સંકળાયેલા છે. મેહુલભાઈએ તાત્કાલિક શ્રી તૃપ્તિબેનને ફોન કર્યો. તૃપ્તિબહેને વિહવળ થઇ મને ફોન કર્યો. વાત કરતાં કરતાં તેમને ગળામાં ડૂમો ભરાઈ ગયો.

મેં તેમની પાસેથી મેહુલભાઈનો નંબર માંગી વાત કરી. મેં કહ્યું, મને ફોટા મોકલો અને કોલ કરો. પરિસ્થિતિની ગઁભીરતા સમજવા માટે ફોટા પ્રમાણે પોતપોતાની જગ્યાએ દર વર્ષે માળા બનાવતી હોય. અચાનક છતમાં માળા તોડી નાખે તેટલી નજીકની જગ્યાએ એક સાથે ૫ થી ૬ માણસો કામ કરતાં જોઈ ચકલીઓ ગભરાઈ જાય, ચીસાચીસ કરતી હાંફળી ફાફળી થઇ પોતાના માળા, ઈંડા અને બચ્ચાનું શું થશે તેવો ભય વ્યાપી જાય અને નિસહાય બની જાય તેવું જોયું. ચકલીઓની ચીસાચીસ સાંભળી મેં વિડિયો મેહુલભાઈને કોલ કરી આખી ભયાવહ પરિસિથતિનો તાગ મેળવ્યો.

તેમના થકી તેમના ફોનથી મંદિરના પૂજારી સાથે વાત કરી. પુજારીને વિનંતી કરી, પરંતુ નિ:સહાય જવાબ મળ્યો કે ટ્રસ્ટની સૂચનાથી આ બધા કામ થઇ રહ્યા છે. સર્વેના નસીબ સારા કે તે સમયે બહાર ટ્રસ્ટની ઓફિસમાં  ટ્રસ્ટની મિટિંગ ચાલુ હતી. પૂજારી મેહુલભાઈને ટ્રસ્ટની મિટિંગના રૂમમાં લઇ ગયા અને વાત કરીકે આ ભાઈ આપ સહુને મળવા માંગે છે.

મેહુલભાઈએ ગળગળા થઇ વિનંતી કરી કે મંદિરમાં થતા કામના લીધે મોટી જીવ હિંસા થશે અને ચકલી જે નામશેષ થઇ રહી છે. તેમની એક કાયમી મોટી વસાહત નાશ પામશે. સાહેબ, આ કામ ન કરો અને બંધ કરાવો.

આશ્ચર્યમાં પડી એક ટ્રસ્ટીએ કહ્યું કે નવી બનાવેલી ડિઝાઇન પ્રમાણે અમારે જાળીનું કામ કરવું પડે તેમ છે. મેહુલભાઈએ તેમને મારી સાથે વાત કરવા વિનંતી કરી કે આ “સ્પેરોમેન” કોઈક રસ્તો બતાવે  માટે તેમની સાથે તમે વાત કરવા વિનંતી!

ટ્રસ્ટીગણમાં પ્રભુ વસ્યા અને મારી સાથે વાત કરી. તેમને ચકલીઓની કઠણાઈ અને જીવદયાની થોડીક વાત કરી. મને કહ્યું કે ઉપર ગુંબજમાં માળો ન બનાવે અને ચકલીઓ બચે તેવું શું કરી શકાય? મેં સરળ રસ્તો બતાવ્યો કે જાળી લગાવો છો તેની નીચેના ભાગમાં માળા લગાવવા. તેમણે કહ્યું કે તે કેવી રીતે થાય? તાતકાલિક તમો કરાવી આપો તો કરી જુવો, જગતભાઈ બધું તમારે કરવાનું.

તેમની વાતને મેં વિચારી, મગજમાં ડિઝાઇન વિચારી તેમની ચેલેન્જ સ્વીકારી કે  મને ત્રણ દિવસનો સમય આપો ને હું ચકલીઓની સુંદર વસાહત બચાવવા માટે વ્યવસ્થા ગોઠવી મહેનત કરીશ તેમ વિનંતી કરી. તેમણે બે દિવસમાં તમે કરાવી આપો તેમ કહ્યું. અમે તેમણે ગુંબજમાં કામ કરવા માટેનું સ્કેફોલ્ડિંગ વાપરવા દેવાની પરવાનગી માંગી તે પણ અમને મળી.

સમય ન બગાડતા હું, મારી પત્ની અને બીજા બે યુવાન વૉલ્યૂન્ટર તેમજ સંજયભાઈ, તૃપ્તિબેન, તેમનો દીકરો ઓમ અને મેહુલભાઈ અમે સર્વે માળા, વાયર અને બીજો ઉપયોગી સમાન લઇ બીજે દિવસે ત્યાં પહોંચી ગયા.

ચક્લીઓનો કલબલાટ સાંભળી મન હળવું થઇ ગયું. ભગવાનના દર્શન કરી અને વૉલ્યૂન્ટરને  શીખવાડી સ્કેફોલ્ડિંગ ઉપર ચઢાવ્યા. સ્વાભાવિક રીતે ચકલીઓ ગભરાઈ ગઈ અને વધારે ઉડાઉડ કરવા માંડી. દર્શનાર્થીઓ પણ આશ્રય પામી ટોળે વળ્યાં. ત્રણ માળ જેટલી ઊંચાઈએ ચઢવાની પણ બીક લાગે તેવું, પરંતુ હિમ્મત કરી ઉપર માણસો ઉપર ચઢ્યા.

સમજાવ્યું હતું તેમ પહેલા એક માળો બંધાવ્યો અને વ્યવસ્થિત લાગ્યો તેટલામાંજ ચકલી નજીક આંટા મારવા માંડી. સફળ થશે તેવી શ્રદ્ધા જાગી અને આકરી મહેનત પછી બધા કોલમ ઉપર એક એક માળો બાંધ્યો જેણે   ગુંબજના  દેખાવમાં ઉમેરો કર્યો.

હજુ બધા ભેગા થઇ આનંદ વહેંચીએ ત્યાંતો તરત એક દર્શનાર્થીએ બુમ પાડી, કે સાહેબ માળામાં અંદર ચકલી જોઈ. હરખ વ્યાપી ગયો અને પૂજારી જઈને ટ્રસ્ટીને બોલાવી લાવ્યા. ત્યાં સુધીમાં બીજા બે માળામાં ચકલી ગઈ અને બસ બધામાં આનંદનો ઉભરો આવી ગયો!

મેં પૂછ્યું, કે મહારાજ આરતી કરો અને પ્રસાદ વહેંચો! વાહ રે વાહ, એક અદભુત અનેરો અસ્વમરણીય    પ્રસંગ ઉજવાઈ ગયો. લોકો આરતીમાં જોડાયાં અને ચકલીઓ પણ ચીં.. ચીં.. ચીં….  કરી આરતી કરતી હોય તેમ આનંદ વ્યક્ત કરવા માંડી, ટ્રસ્ટીને કહ્યું કે આજની તિથિને મંદિરની ચકલીની વસાહતની વર્ષગાંઠની ગણી કાયમી તિથિ તરીકે લખી લો.  વર્ષગાંઠ દર વર્ષે ઉજવો અને તેના રૂપિયા હું ભરી દઉં છું.

હાલમાં, ત્રીજા વર્ષે ફરીથી આનંદનો ભાવભીનો માહોલ તેજ જગ્યાએ ફરીથી સર્જાયો.

એક લેખક અને કવિ સ્પેરોના થાકી બનેલા નવા મિત્ર સુરેશ રાવલ ત્યાં કુટુંબ સાથે દર્શન કરવા ગયા હતા. દર્શન કરતાંકરતાં પૂજા વખતે ચકલીઓની ચીં ચીં નો સતત કર્ણપ્રિય અવાજ આવતો હતો, ભગવાનના દર્શન કરી ઊંચે જોયું તો છક્ક થઇ ગયા. અરે અહીંતો ગુંબજમાં સુંદર માળાની ભગવાનને ચઢાવેલું તોરણ હોય તેવી રીતે જગતભાઈના માળા છે અને બધા માળામાં ચકલીઓ ચી ચી કરતી બચ્ચા પાસે આવજા કરી રહી છે.

*ઘર ચકલી – નર – ઘેરાંકથ્થઈ ચટા પટા વાળો અનેચાંચ નીચેડોક કાળી , માદા – ભૂખરા રંગની અને થોડીક નાજુક*ચકલી: કદ: ૬” – ૧૫ સે.મી., સરેરારે શ આયુષ્ય ૫ – ૬ વર્ષ, ચાલ – બે પગે ઠેકડા મારતી વિશિષ્ટ ચાલ.

સંવેદનશીલ મિત્રની આંખોમાં ઝળઝળિયાં આવી ગયા અને ભગવાનના દર્શનની સાથે મંદિરમાં પ્રકૃત્તિની જાણવણીની સફળતાનાં દર્શન થયા તેવા મનોભાવ સાથે કવિતા લખવાનું સ્ફૂર્યું. એક કવિતા લખવાના શબ્દોનો ભાવ તેમના મનમાં થઇ ગયો. તેમણે મને તરત મને ફોન કરી, શું વાત કરવી તેના શબ્દો ન જડે અને ભાવવિભોર થઇ ખુબ શુભેચ્છા પાઠવી કે જગતભાઈ ભગવાનના મંદિરમાં ચકલીઓ તમારા માટે રોજ પ્રાર્થના કરે છે.

આનાથી વધારે સંતોષ કઈ વાતનો થાય ! જય હો ચકલી ગુરુની, તમારો ભવ સુધારી ગયો તેમ કહેતા કહેતા તેમને ગળામાં આનંદનો ડૂમો ભરાઈ ગયો. ચકલીઓની સંખ્યા વધારવાની ઝુંબેશની ખુબજ મોટી અને ભવ્ય સફળતા ભગવાનના ધામમાં જોઈ, તેમ વ્યક્ત કરી ફોન પુરો કર્યો.

મારી આંખોમાં તે સાથે ભગવાન અને ચકલીઓના માળા, બચ્ચાં, ગુંબજની માળાનું તોરણ અને ભગવાનના દર્શન થયા.


*આવો કુદરતના ખોળે, નિરાંત અનુભવીએ.*

*સ્નેહ રાખો – શીખતાં રહો – સંભાળ રાખો*

*Love – Learn  – Conserve*


લેખક:

જગત કીનખાબવાલા (સ્પેરો મેન)
https://www.facebook.com/jagat.kinkhabwala
ઇમેઇલ: jagat.kinkhabwala @gmail.com
Mob. No. +91 98250 51214