નિરંજન મહેતા

‘કોઈ’ શબ્દ સાંભળતા જ લાગે કે આ કોઈ ત્રાહિત વ્યક્તિ માટે વપરાયો છે. હિંદી ફિલ્મના ગીતોમાં પણ આ સંદર્ભમાં ગીતો આવ્યા છે જેમાના થોડાક આ શ્રેણીમાં રજુ કરૂ છું. અગણિત ગીતો હોવાથી આ ચાર ભાગની શ્રેણી છે.

સૌ પ્રથમ ૧૯૪૯ની ફિલ્મ ‘બડી બહેન’નું ગીત જોઈએ. આ એક છેડછાડભર્યું ગીત છે.

चुप चुप खड़े हो जरूर कोई बात है
पहेली मुलाक़ात है जी पहेली मुलाक़ात है

રહેમાન અને સુરૈયાને ગુપચુપ ઉભેલા જોઈ કેટલીક મહિલાઓ આ ગીત ગાય છે. ગીતકાર કમર જલાલાબાદી અને સંગીતકાર હુસ્નલાલ ભગતરામ. ગાયિકાઓ પ્રેમલતા અને લતાજી.

૧૯૪૯ની અન્ય ફિલ્મ ‘અંદાઝ’નું આ ગીત ઉલ્હાસનાં ભાવો દર્શાવે છે.

कोई मेरे दिल में ख़ुशी बन के आया
अँधेरा था घर रौशनी बन के आया

દિલીપકુમારને યાદ કરતી નરગીસ પર આ ગીત રચાયું છે. શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે નૌશાદે. સ્વર છે લતાજીનો.

૧૯૫૦ની ફિલ્મ ‘આરઝુ’નું આ ગીત દર્દભર્યું ગીત છે.

ऐ दिल मुझे ऐसी जगा ले चल जहा कोई न हो

લાગે છે પ્રેમમાં નાસીપાસ દિલીપકુમાર આ ગીત દ્વારા પોતાની વ્યથા દર્શાવે છે જેના શબ્દો છે મજરૂહ સુલતાનપુરીના અને સંગીત આપ્યું છે અનીલ બિશ્વાસે. તલતનો હલકભર્યો સ્વર.

૧૯૫૦ની વધુ એક ફિલ્મ ‘સરગમ’નું ગીત એક પાર્ટી ગીત છે.

तस्वीर यार दिल से मिटाई ना गई
……………
कोई किसी का दीवाना ना बने

વેદનાભર્યાં આ ગીતના કલાકાર છે રેહાના સુલતાન. ગીતકાર છે પ્યારેલાલ સંતોષી અને સંગીત આપ્યું છે સી. રામચંદ્રએ. સ્વર છે લતાજીનો.

૧૯૫૨ની ફિલ્મ ‘બૈજુ બાવરા’ના આ ગીતમાં ભારતભૂષણનાં અવાજને સાંભળીને મીનાકુમારીની સખીઓ તેની છેડતી કરે છે આ સમૂહગીત દ્વારા.

दूर कोई गाये
धून ये सुनाए

ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ. સ્વર આપ્યો છે શમશાદ બેગમ અને લતાજીએ.

૧૯૫૨ની અન્ય ફિલ્મ ‘નૌબહાર’નું આ ગીત મીરાબાઈનું પ્રખ્યાત ભજન છે.

ऐ री मै तो प्रेम दीवानी
मेरे दर्द न जाने कोई

આ ભજનને શૈલેન્દ્રએ મઠાર્યું છે અને સંગીત આપ્યું છે રોશને. આ ગીત જુદા જુદા પ્રસંગે અને જુદી જુદી પરિસ્થિતિમાં એકથી વધુ વાર દર્શાવાયું છે જેમાં કલાકારો છે નલીની જયવંત અને અશોકકુમાર. સ્વર છે લતાજીનો. ગીતમાં અંતરામાં પણ કોઈ શબ્દ આવે છે.

૧૯૫૪ની ફિલ્મ ‘અમર’નું ગીત કટાક્ષભર્યું છે જે એક પાર્ટી ગીત છે.

ना शिकवा है कोई ना कोई गिला है
सलामत रहे तू ये मेरी दुआ है

દિલીપકુમારને ઉદ્દેશીને આ ગીત મધુબાલા પિયાનો વગાડતા ગાય છે. ગીતકાર શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ. સ્વર આપ્યો છે લતાજીએ.

૧૯૫૫ની ફિલ્મ ‘સીમા’નું આ ગીત પ્રાર્થના ગીત છે.

तू प्यार का सागर है
तेरी एक बूंद के प्यासे हम
………..
कोई क्या जाने कहां है सीमा
उलज़न आन पडी

બલરાજ સહાની પર રચાયેલ આ પ્રાર્થનાના શબ્દો શૈલેન્દ્રના છે અને સંગીત શંકર જયકીસનનું. મધુર સ્વર મન્નાડેનો.

૧૯૫૬ની ફિલ્મ ‘અનુરાગ’નું ગીત એક ઓડીઓ છે.

कोई दिल में है कोई नजर में
मोहब्बत के सपने

ઓડીઓ હોવાને કારણે ગીતની વધુ માહિતી નથી પણ ફિલ્મમાં મુકેશ કલાકાર છે એટલે આ ગીત તેમની ઉપર રચાયું હોઈ શકે. ગીતકાર છે કૈફ ઈર્ફાની અને સંગીત તેમ જ સ્વર છે મુકેશના.

૧૯૫૭ની ફિલ્મ ‘ચંપાકલી’નું ગીત એક વિરહગીત છે.

छुप गया कोई रे दूर से पुकार के
दर्द अनोखे हाय डे गया प्यार के

ભારતભૂષણની યાદમાં ગાતી સુચિત્રા સેન પર આ ગીત રચાયું છે. શબ્દો છે રાજીન્દર કૃષ્ણના અને સંગીત છે હેમંતકુમારનું. ગાયિકા લતાજી.

૧૯૫૭ની અન્ય ફિલ્મ ‘અબ દિલ્લી દૂર નહિ’ એક અનાથ બાળકની વ્યથા રજુ કરતુ ગીત છે.

मालिक तेरे जहाँ में कितनी बड़ी जहाँ में
कोई नहीं हमारा कोई नहीं हमारा

ગીતના કલાકાર છે માસ્ટર રોમી અને શબ્દો છે શૈલેન્દ્રના. સંગીત છે દત્તારામ વાડકરનું અને સ્વર છે સુધા મલ્હોત્રાનો.

૧૯૫૯ની ફિલ્મ ‘ગુંજ ઊઠી શેહનાઈ’નું ગીત પણ એક વ્યથાપૂર્ણ ગીત છે.

कह दो कोई न करे यहाँ प्यार
इस में खुशिया है कम बेशुमार है गम

પ્રેમભંગ રાજેન્દ્રકુમાર આ ગીત દ્વારા પોતાની વ્યથા રજુ કરે છે. ગીતના શબ્દો છે ભરત વ્યાસના અને સંગીત વસંત દેસાઈનું. સ્વર છે રફીસાહેબનો. સાથી કલાકાર અમિતા.

૧૯૬૦ની ફિલ્મ ‘કોહિનૂર’નું ગીત એક પ્રેમીયુગલની ભાવનાને વ્યક્ત કરે છે

कोई प्यार की देखे जादूगरी
गुलफाम को मिल गयी शब्ज परी

ઘોડેસવાર દિલીપકુમાર અને મીનાકુમારી પર રચાયેલ આ ગીતના ગીતકાર છે શકીલ બદાયુની અને સંગીતકાર નૌશાદ. સ્વર આપ્યો છે રફીસાહેબ અને લતાજીએ.

૧૯૬૦ની અન્ય ફિલ્મ ‘બમ્બઈ કા બાબુ’નું આ ગીત પાર્શ્વગીત છે.

चल री सजनी अब क्या रोये
कजरा ना बहे जाए रोते रोते

સુચિત્રા સેનના લગ્ન વખતે વિદાય પ્રસંગે દેવઆનંદ આ ગીત દ્વારા તેને વિદાય આપે છે. શબ્દો છે મજરૂહ સુલ્તાનપુરીના અને સંગીત સચિન દેવ બર્મનનું.  ગાયક મુકેશ.

આ જ ફિલ્મનું એક અન્ય ગીત છે જે વ્યથાપૂર્ણ ગીત છે.

साथी न कोई मंजिल
दिया है आ कोई महफ़िल

દેવઆનંદ આ ગીત દ્વારા પોતાની વ્યથા ઉજાગર કરે છે, શબ્દો છે મજરૂહ સુલ્તાનપુરીના અને સંગીત સચિન દેવ બર્મનનું.  ગાયક રફીસાહેબ.

૧૯૬૦ની વધુ એક ફિલ્મ ‘છલિયા’નું ગીત પણ દર્દભર્યું છે.

मेरे टूटे हुए दिल से
कोई तो आज ये पूछे
के तेरा हाल क्या है
के तेरा हाल क्या है

રાજકપૂર પર રચાયેલ આ ગીત મુકેશના સ્વરમાં છે જેના શબ્દો છે કમર જલાલાબાદીના અને સંગીત છે કલ્યાણજી આણંદજીનું.

૧૯૬૦ પછીના ગીત ભાગ બેમાં.


Niranjan Mehta

A/602, Ashoknagar(old),
Vaziranaka, L.T. Road,
Borivali(West),
Mumbai 400091
Tel. 28339258/9819018295
વીજાણુ ટપાલ સંપર્ક સરનામું : nirumehta2105@gmail.com