દેવિકા રાહુલ ધ્રુવ
જો તોડો વચન તો ડરાવે આ લોકો,
ને પાળો વચન તો રડાવે આ લોકો.
એ પાડે દિવાલો, પડે જ્યાં તિરાડો,
બની ખુદ દિવાલો, ડુબાડે આ લોકો.
જે ખાલી ચણો છે, તે વાગે ઘણો અહીં,
મદારી બની મન, નચાવે આ લોકો.
પહેલાં એ કે’તા, ‘શીખો યાદ રાખો,’
હવે ભૂલતા શીખવાડે આ લોકો.
થયો શાને ઈશ્વર, તું પત્થરની મૂરત?
હશે રાઝ એ કે, થકાવે આ લોકો.
આ કડવી હકીકત, ને છે સાવ સાચી,
શું જાણી ખુદાને, બનાવે આ લોકો!
અખાના જ છપ્પા સમી ‘દેવી’ વાતો,
સજાવી ધજાવી, સુણાવે આ લોકો.
સુશ્રી દેવિકા રાહુલ ધ્રુવનાં સંપર્ક સૂત્રો :
ઈ-મેલઃ ddhruva1948@yahoo.com
વેબઃ http://devikadhruva.wordpress.com
વેબ ગુર્જરી પર પ્રકાશન અંગેની વિચારણા સારૂ આપની કવિતા નીચેનાં વીજાણુ સરનામે પદ્ય વિભાગનાં સંપાદકોને મોકલી શકો છો-
સુશ્રી દેવિકા ધ્રુવ – ddhruva1948@yahoo.com
સુશ્રી રક્ષા શુક્લ – shukla.rakshah@gmail.com
કહી આ વાત બહેના! ખુબ સાચી છે.
સમજવાના નથી એને કદી આ લોકો.