ભગવાન થાવરાણી
શાયર મોહસીન નકવી મારી સમક્ષ ઉઘડ્યા ગુલામ અલી સાહેબે ગાયેલી એમની આ વિખ્યાત ગઝલ થકી:
યે દિલ યે પાગલ દિલ મેરા ક્યોં બુઝ ગયા આવારગી
ઈસ દશ્ત મેં એક શહર થા વો ક્યા હુઆ આવારગી
એમની અનેક ગઝલોએ એ પણ સાબિત કર્યું કે એમનું વિચાર – ફલક કેટલું વિશાળ છે. જો માત્ર પચાસ જ વર્ષની વયે એમની હત્યા ન કરી નાંખવામાં આવી હોત તો શેર-ઓ-સુખનની દુનિયા એમના સર્જનથી વધુ માલામાલ બની હોત ! એમનો આ શેર જૂઓ :
ઉજડે હુએ લોગોં સે ગુરેઝાં ન હુઆ કર
હાલાત કી કબ્રોં કે યે કતબે ભી પઢા કર..
(ગુરેઝાં = અલિપ્ત, કતબા = કબર પરનું લખાણ)
મને મોહસીન નકવી સાહેબનો આ શેર બેહદ પસંદ છે. આજના સંકટના દૌરમાં તો એ વધુ પ્રાસંગિક છે :
સિર્ફ હાથોં કો ન દેખો કભી આંખેં ભી પઢો
કુછ સવાલી બડે ખુદ્દાર હુઆ કરતે હૈં ..
કેટલાક લોકો જરુરિયાતમંદ તો હોય, ભિખારી નહીં. એમનું સ્વમાન એમને હાથ લંબાવતાં રોકે છે. આવા સંજોગોમાં એ લોકો મજબૂરીની ચરમ કક્ષાએ પહોંચી હાથ ફેલાવી યાચક બને એ પહેલાં એમની આંખો વાંચી લેવી જોઈએ જેથી તેઓ શરમિંદગીના દોજખથી બચી જાય ! આંખો ઉકેલી શકીએ એટલા ભણેલા તો આપણે સૌ છીએ જ.
ઈંસાનિયતનો આ પણ એક તકાજો છે..
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
Wahhhh
વાહ ખુબ જ સરસ 👌🙏👌