ભગવાન થાવરાણી

ઉર્દૂ સાહિત્યમાં જોન એલિયા એક એવું વ્યક્તિત્વ હતું જેમની વાણીમાં સદાય તેજાબ ભભૂકતો. બેફામ અને કોઈની સાડીબાર ન રાખનાર માણસ ! મુશાયરાઓમાં લોકપ્રિય અને પોતાની સ્પષ્ટવાદિતા માટે નામચીન !
એમની એક ગઝલનો શેર પોતાની સહજતા અને બાળ-સહજ વિસ્મય માટે મને ખૂબ જ ગમે છે. ગઝલનો ઉઘાડ આમ છે :
બેદિલી ! ક્યા યૂં હી દિન ગુઝર જાએંગે
સિર્ફ ઝિંદા રહે હમ તો મર જાએંગે
પણ જે શેર મને સંમોહિત કરે છે તે આ છે :
કિતને દિલકશ હો તુમ કિતના દિલ-જૂ હું મૈં
ક્યા સિતમ હૈ કે હમ લોગ મર જાએંગે ..
વાત તો બસ, મૃત્યુની અનિવાર્યતાની છે પણ લહેજો ! બધા જાણે છે કે બધાએ જવાનું છે પણ વિસ્મય દર્શાવવાની આ રીત ! આપણે બન્ને આટલા દિલકશ અને દિલ-જૂ ( દિલને આશ્વસ્ત કરનાર ) હોવા છતાં ખરેખર મરી જઈશું ! ના, ના, એમ કઈ રીતે બને ?
એક ગુમનામ શાયરે લખ્યું છે :
યહીં ઈસ મેઝ પર જબ મૈં ન હૂંગા
મેરી તસવીર ફૂલોં સે સજેગી ..
( અત્યારે જ્યાં બેઠો છું એ જ ટેબલ પર મારો ફૂલહાર-મંડિત ફોટો શોભતો હશે ! )
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
વાહ. ખૂબ સરસ.
વાહ. ખૂબ સરસ. આપની પસંદગી જે શેર પર ઊતરી તે ઉત્તમ છે.
આભાર અરવિંદભાઈ !
વાહ! ખુબજ સરસ અને સાચી વાત.