– ભગવાન થાવરાણી

થોડાક સમય પહેલાં પરવીન શાકિર સાહેબાના શેરની વાત કરી આપણે. પરવીન જીનો તો ખેર ! ઉર્દુ શાયરાઓમાં કોઈ જોટો નથી. એ એકમેવ છે, પરંતુ ઉર્દુ ભાષામાં કેટલીક અન્ય કવયિત્રીઓ પણ છે જેમણે સમયાંતરે ખૂબ જ ઉમદા શેર અને ગઝલો આપી.
આવું એક નામ છે મોહતરમા સય્યદા શાને મેરાજનું. એમની એક ગઝલનો આ જીવલેણ મત્લો જુઓ :
હાલ મૌસમ કા હી પૂછેગા વો જબ પૂછેગા
મુજસે કબ મેરી ઉદાસી કા સબબ પૂછેગા ..
આવું હમેશાં થાય છે. કોઈ। ‘ ખાસ ‘ વ્યક્તિને મળતાં પહેલાં આપણે પૂર્વ-આયોજન કરીએ છીએ કે એને આ વાત કરીશું, પેલી વાત કરીશું, આ પૂછશું, તે પૂછશું પણ જ્યારે રૂ – બ – રુ થઈએ ત્યારે એ બધા મનસૂબા વરાળ થઈને ઊડી જાય છે, બધું આયોજન જ્યાંનું ત્યાં રહી જાય છે અને સમગ્ર વાત રોજ-બરોજની ચીલાચાલૂ વાતોથી આગળ નથી વધતી અને બન્નેમાંનુ કોઈક વસવસો કરતું રહી જાય છે કે અરેરે ! એણે બસ હવાપાણી અને વરસાદનું જ પૂછ્યું ! મારા ચહેરા પર વંચાઈ શકતી ઉદાસી વિષે એક શબ્દ પણ નહીં !
થાય છે ને આવું …!
શ્રી ભગવાન થાવરાણીનો સંપર્ક bhagwan.thavrani@gmail.com વીજાણુ પત્રવ્યવહાર સરનામે થઈ શકશે.
બિલકુલ હંમેશા આવું થાય છે.
આ નવી શાયરા સાથે મુલાકાત બદલ આભાર..